અધ્યામ-ફિલોસોફી · વિષય: ચિંતન/ફિલોસોફી

સમાજ અને સભ્યતા પ્રત્યે આપણી જવાબદારી

મારા ‘અનામિકાને પત્ર’ બ્લૉગ પર મેં ડિસેમ્બર 20, 2006ના રોજના પત્રમાં  માનવસભ્યતા વિશે વાત કરી હતી. આજે તે પર વિશેષ છણાવટ કરી રહ્યો છું. © હરીશ દવે 6th July, 2020 . આપના પ્રતિભાવ આવકાર્ય છે. **** * ** * * * * ** *** *** *   ** * ** * * **** * ** *… Continue reading સમાજ અને સભ્યતા પ્રત્યે આપણી જવાબદારી

અંગ્રેજી ફિલ્મ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો

હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ

આપ માની શકશો કે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગનો આરંભ હોલિવુડ (હૉલિવુડ) માં નહીં, પણ ન્યૂ જર્સીમાં થયો હતો!! જી હા, ન્યૂ જર્સીમાં હડસન નદીના કાંઠે ફોર્ટ લિ ખાતે શરૂઆતની સાયલેન્ટ ફિલ્મો શુટ થઈ.

અમેરિકાના મહાન શોધક ટોમસ આલ્વા એડિસનની મોશન પિક્ચર પરની શોધખોળ માટેનો સ્ટુડિયો ‘બ્લેક મારિયા’ ન્યૂ જર્સીમાં વેસ્ટ ઓરેન્જ ખાતે હતો. એડિસનના કાઇનેટોગ્રાફ – કાઇનેટોસ્કોપ પર સુધારા વધારા તથા ટૂંકી મૂગી ફિલ્મોના પ્રયોગો બ્લેક મારિયા સ્ટુડિયોમાં થયા હતા.

અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ ન્યૂ જર્સીમાં શરૂ થયું હતું તે હકીકત અણજાણી રહી છે! હોલિવુડમાં ફિલ્મ નિર્માણ 1910 પછી શરૂ થયું.

હોલિવુડમાં વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો સ્થપાતાં તે અમેરિકામાં ફિલ્મ નિર્માણનું કેંદ્ર બન્યું.

યુનિવર્સલ સ્ટુડિયો, વોર્નર બ્રધર્સ, વોલ્ટ ડિઝની સ્ટુડિયો સહિત અન્ય ઘણા સ્ટુડિયોએ સિનેમા જગતની શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. સંખ્યાબંધ ફિલ્મોએ એકેડમી એવોર્ડ્ઝ – ઓસ્કાર –  જીતી વિક્રમ રચ્યા છે. આ વાતો જાણવામાં આપને પણ રસ છે ને?

હોલિવુડના ઐતિહાસિક સ્ટુડિયોઝ, તેમાં નિર્મિત યાદગાર શ્રેષ્ઠ ફિલ્મો તેમજ ફિલ્મ જગતમાં ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખાતા એકેડેમિ એવોર્ડ્ઝના ઇતિહાસની રસપ્રદ વાતો ‘અનામિકા’ ના આજના લેખમાં જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો

ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી

મુંબઈને શું કહેવું? સ્વપ્નનગરી કે ફિલ્મ નગરી?

મુંબઈ ભારતીય સિનેમા ઉદ્યોગનું પ્રમુખ કેંદ્ર છે. બોલિવુડના નામથી ઓળખાતી ફિલ્મ નગરી મુંબઈએ વર્ષ 1896માં ભારતનો પહેલો ફિલ્મ શો જોયો. પછી દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતીય ફિલ્મ ઇતિહાસની સર્વ પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બૉમ્બે (હાલ મુંબઈ) ના કોરોનેશન સિનેમામાં દર્શાવાઈ. ત્યાર પછી મુંબઈના સિનેમા હોલ્સના રૂપેરી પડદાઓએ અસંખ્ય ફિલ્મો નિહાળી છે. તે પૈકી કેટલાક સિનેમા હોલ આજે ચાલુ છે, જ્યારે સંખ્યાબંધ હોલ બંધ થઈ ગયા છે.

મુંબઈમાં પોતપોતાના એરિયાનાં લેન્ડમાર્ક બનેલાં રીગલ, ઇરોસ અને મેટ્રો થિયેટર્સને બધાં જાણે. શાનદાર સિનેમા હોલનાં ઉદાહરણ ગણાતાં મરાઠા મંદિર અને મેટ્રો થિયેટરો આજે પણ સુરખીઓમાં રહે છે. બીજી તરફ, મેજેસ્ટિક, નોવેલ્ટી, અપ્સરા અને મિનરવા જેવાં દિગ્ગજ સિનેમા હોલ નામશેષ થતાં જાય છે. કેબલ ટીવી અને મલ્ટિપ્લેક્સના જમાનામાં જૂનાં થિયેટરોને કોણ પૂછે?

મુંબઈના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘાતક ફટકો હાલના કોરોના વાયરસના કોવિડ-19 પેનડેમિકથી પડ્યો છે. કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાને પગલે મુંબઈના સિનેમા થિયેટરો માર્ચ ત્રીજા અઠવાડિયાથી બંધ કરવા પડ્યાં છે. પરિસ્થિતિ થાળે પડશે, પછી પણ મુંબઈનો સિને ઉદ્યોગ ક્યારે અને કેવી રીતે બેઠો થશે તે કોઈ જાણતું નથી!

‘અનામિકા’ના આજના લેખમાં મુંબઈમાં સિનેમા ઉદ્યોગના ઉદયથી માંડી શહેરના યાદગાર થિયેટરોની રંગીન અને અવિસ્મરણીય વાતો જાણીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો

‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007

. તેર વર્ષથી વધુ સમય વીતી ગયો! મારા આ બ્લૉગ ‘અનામિકા’નો પ્રારંભ વર્ષ 2006 ના ડિસેમ્બર મહિનામાં થયો હતો. ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખન સ્વરૂપે રજૂ થયેલ આ પ્રથમ બ્લૉગ હતો. ‘અનામિકાને પત્ર’ શીર્ષક હેઠળ  સાહિત્ય, કલા, વિજ્ઞાન, ઇતિહાસ, ફિલોસોફી વગેરે વિષયો પરના ટૂંક લેખો  રસપ્રદ પત્રોરૂપે લખાયા. સરળ શૈલીમાં લખાયેલા આ પત્રો સંક્ષિપ્તમાં હોવાથી… Continue reading ‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007

વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

મેડિકલ વિજ્ઞાનમાં આધારસ્તંભ બનતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

સાયન્સ અને ટેકનોલોજીની પાંખે સવાર થયેલું વિશ્વ અકલ્પનીય વેગે પ્રગતિના પંથે દોડી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા માનવીની જિંદગીમાં વણકલ્પ્યાં આયામો ઉમેરી રહ્યાં છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધુનિક વિશ્વના તમામ વ્યવહારોમાં સ્થાન લઈ ચૂકી છે. માનવજીવનનાં વિધવિધ પાસાંઓને સ્પર્શવા લાગેલી એઆઈનો હેલ્થકેર ક્ષેત્ર પર ઘેરો પ્રભાવ છે. પલટાતી જીવનશૈલી અને પરિવર્તિત થતું પર્યાવરણ મનુષ્યના સ્વાસ્થ્યને ગંભીર ક્ષતિ પહોંચાડી રહ્યાં છે. હેલ્થકેર ફિલ્ડમાં  નિદાન અને ચિકિત્સા સેવાઓ માટે ભારે પડકારો છે. પરિણામે આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.

“અનામિકા’ના આજના લેખમાં હેલ્થકેર ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિસ્તરતી ઉપયોગિતા વિશે જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · પ્રકીર્ણ

‘અનામિકા’ પર 2019નાં સ્મરણો

  નમસ્કાર, વાચકમિત્રો! વીતેલ વર્ષ 2019માં આપે ‘અનામિકા’ પર વિવિધ વિષયો પર કેટલાક યાદગાર લેખો વાંચ્યા. તે પૈકી થોડા માહિતીસભર લેખ પર એક નજર નાખીએ. સંપૂર્ણ લેખ વાંચવા લિંક પર ક્લિક કરશો. *** * * ** * *** ** ** અનામિકા લેખ: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજ દ્વારા… Continue reading ‘અનામિકા’ પર 2019નાં સ્મરણો

ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય · વિષય: સમાચાર

સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ

થોડાં વર્ષોથી વિવાદે જોર પકડ્યું છે: વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ બનાવનાર કોણ?

લુઇ લિ પ્રિન્સ કે લુમિએર બ્રધર્સ?

વિશ્વનું પ્રથમ મોશન પિક્ચર કયું? લુઇ લિ પ્રિન્સનું ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ કે લુમિએર બ્રધર્સનું ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’?

અગાઉ એમ મનાતું હતું કે ફ્રાન્સના ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર (લુમિએર બ્રધર્સ/ લુમિયેર બંધુઓ) દ્વારા વિશ્વની પ્રથમ ફિલ્મ બનાવવામાં આવી. તાજેતરનાં સંશોધનો કહે છે કે વિશ્વમાં સૌ પ્રથમ બનેલ અને આજે પણ સચવાઈ રહેલ, આજે પણ ઉપલબ્ધ ફિલ્મ ઇંગ્લેન્ડના લુઇ લિ પ્રિન્સની ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ગણાવી જોઈએ. તે હિસાબે વિશ્વમાં સર્વ પ્રથમ ફિલ્મના સર્જક તરીકે લુઇ લિ પ્રિન્સને માન મળવું જોઈએ.

સાથે જ, એ નિર્વિવાદ હકીકત છે કે વિશ્વમાં મુવિ ફિલ્મનો જાહેરમાં પડદા પર પ્રથમ કોમર્શિયલ શો કરનાર લુમિએર બ્રધર્સ હતા. લુમિએર બ્રધર્સની ફિલ્મોનો પેરિસનો કોમર્શિયલ શો તો સફળ થયો જ. તે પછી તેમણે ભારત અને અન્ય દેશોમાં પણ પોતાની ફિલ્મોને વ્યાવસાયિક ધોરણે પ્રદર્શિત કરી. આમ કોમર્શિયલ સિનેમેટોગ્રાફી દ્વારા સિનેમા ઉદ્યોગના પાયા નાખવામાં લુમિએર ભાઈઓનું યોગદાન ઘણું મહત્ત્વનું ગણાયું છે.

કોમર્શિયલ સિનેમા રૂપેરી પડદે પહોંચી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉદભવ થયો. જો કે તે પૂર્વે ‘મોશન ઇન ફોટોગ્રાફી’ ટેકનિકના જનક એડવર્ડ માયબ્રિજ, સ્ટિલ ફોટોગ્રાફીને લોકભોગ્ય કરનાર જ્યોર્જ ઇસ્ટમેન તથા કાઇનેટોસ્કોપના સર્જક ટોમસ એડિસનના ફાળાને પણ ન્યાય આપવો જોઈએ. આજે ‘અનામિકા’ના લેખમાં તે રસપ્રદ યાત્રાનાં ભૂંસાતાં જતાં પદચિન્હો પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અંગ્રેજી સાહિત્ય · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે.

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે. ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે, તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના ‘રાષ્ટ્રીય કવિ’ માને છે.

શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી. પંદરમી-સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી  કાવાદાવાઓ વરવા બન્યા. છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી. રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન યુગ’ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો. બસ, આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ-અપોન- એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ.

સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી!! ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે, તે એક કરુણતા જ ને!

‘અનામિકા’ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અધ્યામ-ફિલોસોફી · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદજી, શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ

આવતી કાલે 11 સપ્ટેમ્બર છે.

126 વર્ષ પહેલાં, 1893ના સપ્ટેમ્બરની 11મી તારીખે સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ સંસદ (વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સ) માં હિંદુ ધર્મ અને ભારતની ફિલોસોફી પર ચોટદાર પ્રવચન આપ્યું હતું.

1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ માટે સ્વામી વિવેકાનંદજીને અમેરિકા જવાની વ્યવસ્થા ખેતડી (ખેતરી) ના રાજા અજીતસિંહ બહાદુરે કરી હતી. અંગ્રેજ હકૂમત તળેના હિંદુસ્તાનના રાજપૂતાના (રાજસ્થાન) માં ખેતડી (ખેતરી) એક દેશી રાજ્ય. પશ્ચિમ ભારતની પર્વતમાળા અરાવલીના ડુંગરોમાં નયનરમ્ય પ્રકૃતિની ગોદમાં વસેલ રજવાડા ખેતડી વિશેનો ‘અનામિકા’ પરનો વિસ્તૃત લેખ આપે વાંચ્યો.

ખેતડીના રાજા અજીતસિંહ બહાદુરે સ્વામી વિવેકાનંદજીને પોતાના ગુરુ બનાવેલા. વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજીયન્સમાં હાજરી આપવા સ્વામીજીની વિદેશયાત્રાની વ્યવસ્થા રાજા અજીતસિંહે ગોઠવી હતી.

આજે ‘અનામિકા’ના લેખમાં સ્વામીજીની અમેરિકા યાત્રા અને ખેતડીની ત્રણ મુલાકાતો વિશે અવનવી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અધ્યામ-ફિલોસોફી · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ

સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદમાં વિદ્વત્તાભર્યા પ્રવચન સૌને મંત્રમુગ્ધ કર્યા અને તેમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. સ્વામીજીની વિશ્વપ્રસિદ્ધિ પાછળ રાજસ્થાનના ખેતડી (ખેતરી) સ્ટેટના રાજવી રાજા અજીતસિંહ બહાદુરનો અમૂલ્ય ફાળો હતો. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું અને જગતભરમાં હિંદુત્વ અને ભારતીય આધ્યાત્મિકતાને ખ્યાતિ અપાવી. વેદાંત અને યોગને પાશ્ચાત્ય વિશ્વમાં પ્રચલિત કર્યાં.

સ્વામી વિવેકાનંદજી સમા સંન્યાસીને રાજપૂતાના (રાજસ્થાન) ના એક યુવાન રાજવી શિષ્યરૂપે અને મિત્રરૂપે મળ્યા તે કહાણી ભાવનાસભર છે.

ઓગણીસમી સદીમાં બ્રિટીશ શાસન નીચેના હિંદુસ્તાનના રાજપૂતાનામાં ખેતડી સ્ટેટ (ખેતરી, રાજસ્થાન) એક સમૃદ્ધ રાજ્ય – રજવાડું – હતું. યોગી રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગારોહણ પછી તેમના પ્રીતિપાત્ર શિષ્ય નરેન્દ્રનાથ દત્ત દેશાટન કરતાં 1891માં રાજસ્થાન પહોંચ્યા. ત્યાંના ખેતડી રાજ્યના મહારાજા અજિતસિંહ બહાદુર પ્રતિભાવાન તપસ્વી નરેન્દ્રનાથ (સંન્યાસી નામ વિવિદિશાનંદ) થી ભારે પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા. ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ના શિકાગોમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ”  (વિશ્વ ધર્મ સંસદ) યોજાઈ રહી હતી. ખેતડી નરેશના સ્નેહભર્યાં સૂચનોને સ્વીકારી નરેન્દ્રનાથે માથા પર સાફો બાંધવાની શરૂઆત કરી અને સ્વામી વિવેકાનંદ તરીકે નવું નામ ધારણ કર્યું. વળી રાજાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા તેમજ અમેરિકાની યાત્રા માટે શ્રદ્ધાપૂર્વક મદદ કરી. સ્વામીજીના પશ્ચિમના પ્રવાસે તેમને વિશ્વપ્રસિદ્ધિ અપાવી. વિશ્વ ધર્મ સંસદ (વિશ્વ ધર્મ મહાસભા/ વિશ્વ ધર્મ પરિષદ) માટે સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રામાં નિમિત્ત બનનાર ખેતડીના રાજાની વાતો વિગતે જાણવાનો આનંદ તો નિરાળો છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહ બહાદુર વચ્ચેના દિવ્ય સંબંધની અનોખી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]